Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદી તેમનાં કેબિનેટ સાથીઓ સાથે ગુરુવારે શપથ લેવાના છે ત્યારે ખરાબ તબિયતને કારણે મોદીની બીજી ઇનિંગમાં કેન્દ્રીય કેબિનેટમાં સામેલ નહીં કરવા ભાજપ નેતા અરુણ જેટલીએ મોદીને પત્ર લખ્યો હતો. જેટલી અગાઉની મોદી સરકારમાં નાણાપ્રધાન હતા. બીમારીને કારણે તેમણે કેબિનેટમાં સામેલ થવા અસમર્થતા દર્શાવી હતી. મોદીને લખેલો પત્ર તેમણે ટ્વિટર પર મૂક્યો હતો. વિદાય લીધેલી સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવા માટે તેમજ પાર્ટીમાં મહત્ત્વની જવાબદારી સોંપવા માટે મોદીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે આપના નેતૃત્વમાં દેશને વિકાસનાં નવા રસ્તા પર લઈ જવાની તક મળી હતી. પાર્ટીમાં મને સંગઠન સ્તરે મોટી જવાબદારી આપવામાં આવી હતી. હું આનાથી વધુ કશું માગી શકું તેમ પણ નથી.

પીએમ મોદી તેમનાં કેબિનેટ સાથીઓ સાથે ગુરુવારે શપથ લેવાના છે ત્યારે ખરાબ તબિયતને કારણે મોદીની બીજી ઇનિંગમાં કેન્દ્રીય કેબિનેટમાં સામેલ નહીં કરવા ભાજપ નેતા અરુણ જેટલીએ મોદીને પત્ર લખ્યો હતો. જેટલી અગાઉની મોદી સરકારમાં નાણાપ્રધાન હતા. બીમારીને કારણે તેમણે કેબિનેટમાં સામેલ થવા અસમર્થતા દર્શાવી હતી. મોદીને લખેલો પત્ર તેમણે ટ્વિટર પર મૂક્યો હતો. વિદાય લીધેલી સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવા માટે તેમજ પાર્ટીમાં મહત્ત્વની જવાબદારી સોંપવા માટે મોદીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે આપના નેતૃત્વમાં દેશને વિકાસનાં નવા રસ્તા પર લઈ જવાની તક મળી હતી. પાર્ટીમાં મને સંગઠન સ્તરે મોટી જવાબદારી આપવામાં આવી હતી. હું આનાથી વધુ કશું માગી શકું તેમ પણ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ