આવકવેરા વિભાગે કોવિડ મહામારીને જોતાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કર્યો છે. બેલેન્સશીટ ઓડિટ થતી હોય તેવા કરદાતા અને કંપની ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે બાકીના કરદાતા ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં રીટર્ન ફાઇલ કરી શકશે. વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ જાહેરાત કરવાની મુદત ૩૧ જાન્યુઆરી કરવામાં આવી છે. સરકારે સીજીએસટી કાયદા હેઠળ રજૂ કરવાના રહેતાં વાર્ષિક રિટર્ન રજૂ કરવાની મુદતમાં પણ ૨૮ ફેબ્રુઆરી સુધીનો વધારો કર્યો છે. સરકારે સમયસર રીટર્ન ફાઇલ ના કરનાર માટે દંડની રકમ પણ વધારી છે. જો વાર્ષિક આવક રૂ. પાંચ લાખ સુધી હોય તો રૂપિયા ૧,૦૦૦ અને વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી વધુ હોય તો રૂપિયા ૧૦,૦૦૦ સુધીનો દંડ ભરવો પડશે.
આવકવેરા વિભાગે કોવિડ મહામારીને જોતાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કર્યો છે. બેલેન્સશીટ ઓડિટ થતી હોય તેવા કરદાતા અને કંપની ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકશે બાકીના કરદાતા ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં રીટર્ન ફાઇલ કરી શકશે. વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ જાહેરાત કરવાની મુદત ૩૧ જાન્યુઆરી કરવામાં આવી છે. સરકારે સીજીએસટી કાયદા હેઠળ રજૂ કરવાના રહેતાં વાર્ષિક રિટર્ન રજૂ કરવાની મુદતમાં પણ ૨૮ ફેબ્રુઆરી સુધીનો વધારો કર્યો છે. સરકારે સમયસર રીટર્ન ફાઇલ ના કરનાર માટે દંડની રકમ પણ વધારી છે. જો વાર્ષિક આવક રૂ. પાંચ લાખ સુધી હોય તો રૂપિયા ૧,૦૦૦ અને વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી વધુ હોય તો રૂપિયા ૧૦,૦૦૦ સુધીનો દંડ ભરવો પડશે.