વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર બ્રિટનના પ્રવાસે છે ત્યારે લંડનમાં ગુરુવારે ખાલિસ્તાની સમર્થકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ ચેથમ હાઉસ થિંક ટેંકમાં યોજાયેલા કાર્યક્રમ પછી તેમની કારથી પાછા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં દેખાવો કરી રહેલા સમર્થકોમાંથી એકે તેમની કાર સામે આવી હુમલાનો પ્રયત્ન કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની આકરી ટીકા કરી છે અને બ્રિટિશ સરકાર તેની કૂટનીતિક જવાબદારીઓ નીભાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. બીજીબાજુ જયશંકરે ચેથમ હાઉસમાં યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનને રોકડું પરખાવી દેતા કહ્યું કે, તેણે પીઓકે ભારતને સોંપી દેવું જોઈએ.