Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ બાદ ભારત પોતાને ચારેય તરફથી મજબૂત કરવામાં લાગી ગયું છે. આ કડીમાં ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ સ્વદેશી આઇએનએસ કવરત્તી ને આજે નૌસેનાના બેડામાં સામેલ કરશે.
મેડ ઇન ઈન્ડિયા  આઇએનએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇન (DND)એ ડીઝાઇન કરી છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.

જાણો INS Kavarattiની ખાસિયતો

- સબમરીન રોધી ક્ષમતા ઉપરાંત, જહાજને એક વિશ્વસનીય સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવી છે અને તે લાંબા અંતરના અભિયાનો માટે સારી મજબૂતી પણ ધરાવે છે.
- આ યુદ્ધ જહાજમાં 90 ટકા ઉપકરણો ભારતીય છે.
- તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય જહાજના નિર્માણના ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે.
- INS Kavarattiની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.
 

પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ બાદ ભારત પોતાને ચારેય તરફથી મજબૂત કરવામાં લાગી ગયું છે. આ કડીમાં ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ સ્વદેશી આઇએનએસ કવરત્તી ને આજે નૌસેનાના બેડામાં સામેલ કરશે.
મેડ ઇન ઈન્ડિયા  આઇએનએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇન (DND)એ ડીઝાઇન કરી છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.

જાણો INS Kavarattiની ખાસિયતો

- સબમરીન રોધી ક્ષમતા ઉપરાંત, જહાજને એક વિશ્વસનીય સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવી છે અને તે લાંબા અંતરના અભિયાનો માટે સારી મજબૂતી પણ ધરાવે છે.
- આ યુદ્ધ જહાજમાં 90 ટકા ઉપકરણો ભારતીય છે.
- તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય જહાજના નિર્માણના ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે.
- INS Kavarattiની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ