સિંધુ બોર્ડર પર 35 વર્ષીય દલિત યુવક લખબીર સિંહની હત્યા અને પછી તેના મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી તે કેસ હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને તેમાં સિંધુ બોર્ડરને ખાલી કરાવવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા એક વર્ષથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદોએ આંદોલન કરી રહ્યા છે. તેમાં એક સિંધુ બોર્ડર પણ છે જ્યાં શુક્રવારે એક શખ્સનું શબ બેરિકેડ સાથે લટકતું મળી આવ્યું હતું.
લખબીર સિંહની હત્યા મામલે વકીલ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. શુક્રવારે સાંજે તેમણે સર્વોચ્ય અદાલતમાં અરજી દાખલ કરીને શક્ય તેટલી ઝડપથી આ કેસની સુનાવણીની માગણી કરી હતી. આ સાથે જ અરજીમાં સિંધુ બોર્ડરને પણ જલ્દી ખાલી કરાવવાની માગણી કરવામાં આવી હતી.
સિંધુ બોર્ડર પર 35 વર્ષીય દલિત યુવક લખબીર સિંહની હત્યા અને પછી તેના મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી તે કેસ હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને તેમાં સિંધુ બોર્ડરને ખાલી કરાવવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા એક વર્ષથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદોએ આંદોલન કરી રહ્યા છે. તેમાં એક સિંધુ બોર્ડર પણ છે જ્યાં શુક્રવારે એક શખ્સનું શબ બેરિકેડ સાથે લટકતું મળી આવ્યું હતું.
લખબીર સિંહની હત્યા મામલે વકીલ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. શુક્રવારે સાંજે તેમણે સર્વોચ્ય અદાલતમાં અરજી દાખલ કરીને શક્ય તેટલી ઝડપથી આ કેસની સુનાવણીની માગણી કરી હતી. આ સાથે જ અરજીમાં સિંધુ બોર્ડરને પણ જલ્દી ખાલી કરાવવાની માગણી કરવામાં આવી હતી.