Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધી થયેલી અસરની વિગતવાર જાણકારી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જાણકારી આપતા જણાવ્યું કે, દેશમાં મૃત્યુદર 1.58 ટકા છે. જે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ઘણો જ ઓછો છે.

આ સિવાય વાયરસથી સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા પણ અત્યાર સુધી આવેલ કુલ કેસના 22.2 ટકા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 6400નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

તેમણે વાયરસથી સંક્રમિત દર્દીઓની સ્થિતિની વિગતો આપતા આગળ જણાવ્યું કે, દેશમાં કુલ દર્દીઓમાંથી માત્ર 2.7 ટકા ઓક્સિજન સપોર્ટ પર, 1.92 ટકા ICUમાં અને માત્ર 0.29 ટકા જ વેંટિલેટર પર છે. દેશમાં સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસો કરતા 3.4 ગણી વધારે છે અને અત્યાર સુધી રિકવરી રેટ 75 ટકાથી પણ ઉપર છે.

વાયરસથી સંક્રમણની તપાસ માટે આજે થયેલા ટેસ્ટોની વાત કરતા તેમણે જણાવ્યું કે, 25 ઓગસ્ટે 3.68 કરોડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ ટેસ્ટોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આથી જ વાઈરસના સંક્રમણને કાબૂમાં કરવામાં સતત સફળતા જોવા મળી રહી છે.

તેમણે આગળ જણાવ્યું કે, અઠવાડિયાના હિસાબે જોઈએ તો, ઓગસ્ટના પ્રથમ અઠવાડિયોમાં કુલ કલેક્ટ કરવામાં આવેલા સેમ્પલોમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા અંદાજે 11 ટકા આવી રહી હતી. જે હવે બીજા અઠવાડિયામાં ઘટીને 8 ટકા જ બચી છે.

વધી રહેલા ટેસ્ટોની સંખ્યા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, જ્યાં 1 ઓગસ્ટે પ્રતિ 10 લાખની વસ્તી પર 368 ટેસ્ટ થઈ રહ્યાં હતા, જ્યારે હવે પ્રતિ 10 લાખની વસ્તી પર 600 ટેસ્ટ થઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, દેશમાં 32 લાખ જેટલા કોરોના સંક્રમિત કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 58,883 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 7,10,000 જેટલો છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધી થયેલી અસરની વિગતવાર જાણકારી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જાણકારી આપતા જણાવ્યું કે, દેશમાં મૃત્યુદર 1.58 ટકા છે. જે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ઘણો જ ઓછો છે.

આ સિવાય વાયરસથી સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા પણ અત્યાર સુધી આવેલ કુલ કેસના 22.2 ટકા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 6400નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

તેમણે વાયરસથી સંક્રમિત દર્દીઓની સ્થિતિની વિગતો આપતા આગળ જણાવ્યું કે, દેશમાં કુલ દર્દીઓમાંથી માત્ર 2.7 ટકા ઓક્સિજન સપોર્ટ પર, 1.92 ટકા ICUમાં અને માત્ર 0.29 ટકા જ વેંટિલેટર પર છે. દેશમાં સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસો કરતા 3.4 ગણી વધારે છે અને અત્યાર સુધી રિકવરી રેટ 75 ટકાથી પણ ઉપર છે.

વાયરસથી સંક્રમણની તપાસ માટે આજે થયેલા ટેસ્ટોની વાત કરતા તેમણે જણાવ્યું કે, 25 ઓગસ્ટે 3.68 કરોડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ ટેસ્ટોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આથી જ વાઈરસના સંક્રમણને કાબૂમાં કરવામાં સતત સફળતા જોવા મળી રહી છે.

તેમણે આગળ જણાવ્યું કે, અઠવાડિયાના હિસાબે જોઈએ તો, ઓગસ્ટના પ્રથમ અઠવાડિયોમાં કુલ કલેક્ટ કરવામાં આવેલા સેમ્પલોમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા અંદાજે 11 ટકા આવી રહી હતી. જે હવે બીજા અઠવાડિયામાં ઘટીને 8 ટકા જ બચી છે.

વધી રહેલા ટેસ્ટોની સંખ્યા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, જ્યાં 1 ઓગસ્ટે પ્રતિ 10 લાખની વસ્તી પર 368 ટેસ્ટ થઈ રહ્યાં હતા, જ્યારે હવે પ્રતિ 10 લાખની વસ્તી પર 600 ટેસ્ટ થઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, દેશમાં 32 લાખ જેટલા કોરોના સંક્રમિત કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 58,883 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 7,10,000 જેટલો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ