સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ પાકિસ્તાન તેની અવળચંડાઇ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામના ભંગમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીરનાં પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ સિવાય ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ત્યાં જ સીઝફાયરનાં ઉલ્લંઘનમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના પર ભારતીય સેનાએ પણ પ્રતિક્રિયા આપી હતી. આ પહેલા પણ પાકિસ્તાન અનેક વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ પાકિસ્તાન તેની અવળચંડાઇ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામના ભંગમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીરનાં પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ સિવાય ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ત્યાં જ સીઝફાયરનાં ઉલ્લંઘનમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના પર ભારતીય સેનાએ પણ પ્રતિક્રિયા આપી હતી. આ પહેલા પણ પાકિસ્તાન અનેક વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.