Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનની સાથે વાતચીતની કોઈ અસર જોવા મળી રહી નથી. 29-30 ઓગસ્ટની રાત્રે ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ફરીથી હિંસક અથડામણ સર્જાઈ હતી. સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ, ચીનના સૈનિકો પેંગોંગ લેકની પાસે ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા જેનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો. ભારતે વિસ્તારમાં વધારે સૈનિકોને તહેનાત કર્યા છે. 

સરકારે નિવેદનમાં જણાવ્યું છે કે, 29-30 ઓગસ્ટની રાત્રે, ચીનના સૈનિકોએ પૂર્વ સહમતિનું ઉલ્લંઘન કર્યું. ચીનની સેનાએ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાનો વધુ એક પ્રયાસ કર્યો. પેંગોંગ લેકના દક્ષિણી કિનારા પર ચીનની સેના હથિયારો સાથે આગળ વધી હતી જો કે ભારતીય સેનાએ ચીનના સૈનિકોના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો. 

સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું છે કે, ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ તેઓ તેટલા જ સંકલ્પબદ્ધ છે.

ચીનની સાથે વાતચીતની કોઈ અસર જોવા મળી રહી નથી. 29-30 ઓગસ્ટની રાત્રે ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ફરીથી હિંસક અથડામણ સર્જાઈ હતી. સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ, ચીનના સૈનિકો પેંગોંગ લેકની પાસે ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા જેનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો. ભારતે વિસ્તારમાં વધારે સૈનિકોને તહેનાત કર્યા છે. 

સરકારે નિવેદનમાં જણાવ્યું છે કે, 29-30 ઓગસ્ટની રાત્રે, ચીનના સૈનિકોએ પૂર્વ સહમતિનું ઉલ્લંઘન કર્યું. ચીનની સેનાએ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાનો વધુ એક પ્રયાસ કર્યો. પેંગોંગ લેકના દક્ષિણી કિનારા પર ચીનની સેના હથિયારો સાથે આગળ વધી હતી જો કે ભારતીય સેનાએ ચીનના સૈનિકોના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો. 

સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું છે કે, ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ તેઓ તેટલા જ સંકલ્પબદ્ધ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ