થોડા દિવસનાં વિરામ બાદ રાજ્યમાં (Gujarat) ફરીથી મેઘરાજાની (Monsoon) સવારી નીકળી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 40 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ ગીર સોમનાથના (Gir Somnath) ગીર ગઢડામાં 1.68 ઇંચ માત્ર બે જ કલાકમાં ખાબક્યો છે. જ્યારે મહેસાણાનાં ઊંઝામાં 1.44 ઇંચ, મહેસાણાનાં ખેરાલુમાં 1.43 ઇંચ, પાટણનાં સિદ્ધપુરમાં 1.28 ઇંચ, સાબરકાંઠાનાં ઇડરમાં 1.12 ઇંચ, અરવલ્લીનાં ભિલોડામાં 24 એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલમાં વીજળી પડવાથી ઉત્તર ગુજરાતના મહેસાણામાં બે, અરવલ્લીમાં બે અને અમરેલીના ખાંભામાં એક એમ કુલ પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે.
થોડા દિવસનાં વિરામ બાદ રાજ્યમાં (Gujarat) ફરીથી મેઘરાજાની (Monsoon) સવારી નીકળી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 40 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ ગીર સોમનાથના (Gir Somnath) ગીર ગઢડામાં 1.68 ઇંચ માત્ર બે જ કલાકમાં ખાબક્યો છે. જ્યારે મહેસાણાનાં ઊંઝામાં 1.44 ઇંચ, મહેસાણાનાં ખેરાલુમાં 1.43 ઇંચ, પાટણનાં સિદ્ધપુરમાં 1.28 ઇંચ, સાબરકાંઠાનાં ઇડરમાં 1.12 ઇંચ, અરવલ્લીનાં ભિલોડામાં 24 એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલમાં વીજળી પડવાથી ઉત્તર ગુજરાતના મહેસાણામાં બે, અરવલ્લીમાં બે અને અમરેલીના ખાંભામાં એક એમ કુલ પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે.