સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1007 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, હવે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 24,61,191 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 48,040 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,61,595 પર પહોંચી ગઈ છે.
જોકે રાહતની વાત છે કે, અત્યાર સુધી દેશમાં 17,51,556 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, તેઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 64,553 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1007 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, હવે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 24,61,191 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 48,040 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,61,595 પર પહોંચી ગઈ છે.
જોકે રાહતની વાત છે કે, અત્યાર સુધી દેશમાં 17,51,556 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, તેઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.