દેશમાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે તેમાં આંશિક રાહતની વાત એ છે કે તેનો આંક 50 હજારથી નીચે રહે છે, ઉપરાંત મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ 500થી ઓછી નોંધાય છે. પરંતુ ભારતમાં કુલ સંક્રમિતોનો આંક 82 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,230 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 496 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 82,29,313 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 75 લાખ 44 હજાર 798 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,61,908 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,22,607 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે તેમાં આંશિક રાહતની વાત એ છે કે તેનો આંક 50 હજારથી નીચે રહે છે, ઉપરાંત મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ 500થી ઓછી નોંધાય છે. પરંતુ ભારતમાં કુલ સંક્રમિતોનો આંક 82 લાખને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,230 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 496 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 82,29,313 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 75 લાખ 44 હજાર 798 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,61,908 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,22,607 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.