અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણનાં આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના કારણે એએમસી હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. નોંધનીય છે કે, કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ બુધવારે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.
દિવાળીમાં લોકોનાં ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેકટર, હર્ષદ સોલંકીએ જણાવ્યું હતુ કે, દિવાળીમાં લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી ન હતી. હવે જો ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યુ છે તો લોકો સહકાર આપે.
અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણનાં આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના કારણે એએમસી હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. નોંધનીય છે કે, કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ બુધવારે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.
દિવાળીમાં લોકોનાં ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેકટર, હર્ષદ સોલંકીએ જણાવ્યું હતુ કે, દિવાળીમાં લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી ન હતી. હવે જો ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યુ છે તો લોકો સહકાર આપે.