ગુરૂવાર સવારે જાહેર થયેલા આંકડાઓએ ફરી ચિંતા ઊભી કરી છે. છેલ્લા થોડાક દિવસથી દેશમાં કોરોના સંક્રમણના આંકડો 50 હજારથી ઓછો રહેતો હતો અને 24 કલાકમાં મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા પણ 500ની આસપાસ રહેતી હતી. પરંતુ આજે સંક્રિમતોનો આંક 50 હજારને પાર થઈ ગયો છે અને મૃત્યુઆંક પણ 700થી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,209 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 704 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 83,64,086 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 77 લાખ 11 હજાર 809 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,27,962 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,24,315 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ગુરૂવાર સવારે જાહેર થયેલા આંકડાઓએ ફરી ચિંતા ઊભી કરી છે. છેલ્લા થોડાક દિવસથી દેશમાં કોરોના સંક્રમણના આંકડો 50 હજારથી ઓછો રહેતો હતો અને 24 કલાકમાં મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા પણ 500ની આસપાસ રહેતી હતી. પરંતુ આજે સંક્રિમતોનો આંક 50 હજારને પાર થઈ ગયો છે અને મૃત્યુઆંક પણ 700થી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,209 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 704 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 83,64,086 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 77 લાખ 11 હજાર 809 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,27,962 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,24,315 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.