પૂર્વ લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજી પણ તનાવ ચાલી રહ્યો છે.જેના પર ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ કહેવુ છે કે, ભારતીય સેનાની આકરી તેમજ શક્તિશાળી પ્રતિક્રિયાના કારણે હવે ચીની સેનાને અણધાર્યા પરિણામ ભોગવવાનો વારો આવી રહ્યો છે.
જનરલ રાવતે એક ઓનલાઈન સેમિનારને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, એલએસી પર હજી પણ તનાવપૂર્ણ માહોલ છે પણ ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે.પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના આકરા અને શક્તિશાળી પ્રત્યાઘાતોના કારણે ચીનની સેનાને વિચાર્યુ ના હોય તેવા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.ભારત બહુ સ્પષ્ટ રીતે કહી ચુક્યુ છે કે, લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલમાં કોઈ પ્રકારનો બદલાવ સ્વીકાર્ય નથી.સીમા પર થતા સંઘર્ષ અને ઘૂસણખોરીને મોટા ગજગ્રાહમાં બદલાતા વાર નથી લાગતી.એટલે ભારતીય સેના અત્યંત સતર્ક છે.
પૂર્વ લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજી પણ તનાવ ચાલી રહ્યો છે.જેના પર ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ કહેવુ છે કે, ભારતીય સેનાની આકરી તેમજ શક્તિશાળી પ્રતિક્રિયાના કારણે હવે ચીની સેનાને અણધાર્યા પરિણામ ભોગવવાનો વારો આવી રહ્યો છે.
જનરલ રાવતે એક ઓનલાઈન સેમિનારને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, એલએસી પર હજી પણ તનાવપૂર્ણ માહોલ છે પણ ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે.પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના આકરા અને શક્તિશાળી પ્રત્યાઘાતોના કારણે ચીનની સેનાને વિચાર્યુ ના હોય તેવા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.ભારત બહુ સ્પષ્ટ રીતે કહી ચુક્યુ છે કે, લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલમાં કોઈ પ્રકારનો બદલાવ સ્વીકાર્ય નથી.સીમા પર થતા સંઘર્ષ અને ઘૂસણખોરીને મોટા ગજગ્રાહમાં બદલાતા વાર નથી લાગતી.એટલે ભારતીય સેના અત્યંત સતર્ક છે.