શહેરમાં ભારે વરસાદ વરસતા ઓગણેજમાં નિર્માણાઘીન બિલ્ડીંગની દીવાલ ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંચ શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ નિર્માણાઘીન બિલ્ડીંગની એક દીવાલ ઘરાશાયી થતા આ દૂર્ઘટના ઘટી છે.
શહેરમાં ભારે વરસાદ વરસતા ઓગણેજમાં નિર્માણાઘીન બિલ્ડીંગની દીવાલ ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંચ શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ નિર્માણાઘીન બિલ્ડીંગની એક દીવાલ ઘરાશાયી થતા આ દૂર્ઘટના ઘટી છે.