Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે જ્યાં સૌરાષ્ટ્રવાસીઓ સૌથી મોટી સંખ્યામાં રહે છે, તે વરાછા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાન-માવાના ગલ્લા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ પ્રમાણમાં વધતા મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આદેશ આપી તાત્કાલિક અસરથી
આ વિસ્તારોની પાન-મસાલાની દુકાનો પર સાત દિવસ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

સુરતના મેયર જગદીશ પટેલે પણ આ નિર્ણયને આવકર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાન-માવાના ગલ્લા પર સામાન્ય રીતે લોકો માત્ર પાન-માવા ખરીદવા માટે જ નહીં, ત્યાં ઊભા ઊભા પાન-માવા ચાવીને ત્યાંને ત્યાં થૂંકતા હોય તેવું જણાતા ત્યાં સંક્રમણની દહેશત વધતી જતી હોય તેવું જણાયું હતું. એટલે તકેદારીના ભાગરૂપે પાન-માવાના ગલ્લા સાત દિવસ માટે બે ઝોનમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા સુરતના બે ઝોન કતારગામ અને વરાછામાં પાન-માવાના ગલ્લા પર પ્રતિબંધ લગાવાયો છે. બાકીના ઝોનમાં ચાર કરતા વધુ લોકો હશે તો પગલા ભરાશે.

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે જ્યાં સૌરાષ્ટ્રવાસીઓ સૌથી મોટી સંખ્યામાં રહે છે, તે વરાછા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાન-માવાના ગલ્લા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ પ્રમાણમાં વધતા મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આદેશ આપી તાત્કાલિક અસરથી
આ વિસ્તારોની પાન-મસાલાની દુકાનો પર સાત દિવસ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

સુરતના મેયર જગદીશ પટેલે પણ આ નિર્ણયને આવકર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાન-માવાના ગલ્લા પર સામાન્ય રીતે લોકો માત્ર પાન-માવા ખરીદવા માટે જ નહીં, ત્યાં ઊભા ઊભા પાન-માવા ચાવીને ત્યાંને ત્યાં થૂંકતા હોય તેવું જણાતા ત્યાં સંક્રમણની દહેશત વધતી જતી હોય તેવું જણાયું હતું. એટલે તકેદારીના ભાગરૂપે પાન-માવાના ગલ્લા સાત દિવસ માટે બે ઝોનમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા સુરતના બે ઝોન કતારગામ અને વરાછામાં પાન-માવાના ગલ્લા પર પ્રતિબંધ લગાવાયો છે. બાકીના ઝોનમાં ચાર કરતા વધુ લોકો હશે તો પગલા ભરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ