Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદેસર વેચાણ કરતા બાયોડિઝલના કારણે રાજ્ય સરકારને વેરાની કરોડો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે. ગેરકાયદેસર વેચાણ કરતા બાયોડિઝલના પંપ બંધ કરાવવા અગાઉ રાજ્યના પોલીસ મહાનિર્દેશકે સપ્ટેંમ્બર મહિનામાં ઝુંબેશ હાથ ધરી હતી. તેમ છતાં રાજ્યના સુરત , રાજકોટ, અને કચ્છ જિલ્લાઓમાં ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરતા સંખ્યાબંધ પંપો ચાલી રહ્યા હતા.
ઉપરોક્ત બાબત ફરીથી રાજ્ય સરકારના ધ્યાન પર આવતા રાજ્યના પોલીસ મહાનિર્દેશકે સીઆઈડી ક્રાઈમના વડા મારફત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના પંપની તપાસ કરી 31મી માર્ચ પહેલા અહેવાલ આપવા જણાવ્યું છે. આ અંગેની જાણ જીએસટી વિભાગ નાગરીક પુરવઠા વિભાગ અને ગૃહ વિભાગના સંબંધિત જિલ્લા અધિકારીઓને કરવામાં આવી છે. 8 મી માર્ચે સીઆઈડી ક્રાઈમના વડાએ પરિપત્ર બહાર પાડી ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના પંપ પર દરોડા પાડી સેમ્પલ એકત્ર કરવા પણ આદેશ કર્યો છે. 31મી તારીખ પહેલા જિલ્લા વાર કામગીરી કરી અકત્રિત પત્રક બનાવી પોલીસની વડી કચેરીને જાણ કરવા પણ સુચના આપવામાં આવી છે. આ સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરી કડક પગલા લેવા આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં જુદા-જુદા બંદરો ઉપર કેમિકલ, વ્હાઈટ ઓઈલ, બેઝ ઓઈલ, એમટીઓ, એલડીઓની આયાત કરી સમગ્ર રાજ્યમાં આ ચીજ વસ્તુઓ બાયોડિઝલના નામે વેચાઈ રહી છે. છતાં જીએસટી વિભાગ કે પુરવઠા વિભાગ કોઈજ પગલા લઈ રહ્યું નથી. રોડ ટ્રાન્સપોર્ટમાં વપરાતા વાહનોમાં આ ગેરકાયદેસર બાયોડિઝલના કારણે પ્રદુષણ પણ ફેલાઈ છે અને લોકોના આરોગ્યને નુક્સાન થઈ રહ્યુ છે. છતાં પણ રાજ્ય સરકારના જાડી ચામડીના અધિકારીઓ આ પ્રવૃતિને બંધ કરાવી શક્તા નથી. સુત્રોના જણાવ્યા મુજબ જુદા-જુદા જિલ્લાઓમાં ગેરકાયદેસર બાયોડિઝલ પંપ ચલાવવાના નામે પોલીસ અને પુરવઠા વિભાગ મહિને 5 થી 7 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ અંગે લાંચ રૂશ્વત વિભાગે પણ તપાસમાં સામેલ થઈ ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડવા જોઈએ. આ પ્રકારની પ્રવૃતિ બેધ થાય તો રાજ્ય સરકારની કરોડો રૂપિયાની જીએસટીની આવક વધે તેમ છે.   
 

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદેસર વેચાણ કરતા બાયોડિઝલના કારણે રાજ્ય સરકારને વેરાની કરોડો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે. ગેરકાયદેસર વેચાણ કરતા બાયોડિઝલના પંપ બંધ કરાવવા અગાઉ રાજ્યના પોલીસ મહાનિર્દેશકે સપ્ટેંમ્બર મહિનામાં ઝુંબેશ હાથ ધરી હતી. તેમ છતાં રાજ્યના સુરત , રાજકોટ, અને કચ્છ જિલ્લાઓમાં ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરતા સંખ્યાબંધ પંપો ચાલી રહ્યા હતા.
ઉપરોક્ત બાબત ફરીથી રાજ્ય સરકારના ધ્યાન પર આવતા રાજ્યના પોલીસ મહાનિર્દેશકે સીઆઈડી ક્રાઈમના વડા મારફત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના પંપની તપાસ કરી 31મી માર્ચ પહેલા અહેવાલ આપવા જણાવ્યું છે. આ અંગેની જાણ જીએસટી વિભાગ નાગરીક પુરવઠા વિભાગ અને ગૃહ વિભાગના સંબંધિત જિલ્લા અધિકારીઓને કરવામાં આવી છે. 8 મી માર્ચે સીઆઈડી ક્રાઈમના વડાએ પરિપત્ર બહાર પાડી ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના પંપ પર દરોડા પાડી સેમ્પલ એકત્ર કરવા પણ આદેશ કર્યો છે. 31મી તારીખ પહેલા જિલ્લા વાર કામગીરી કરી અકત્રિત પત્રક બનાવી પોલીસની વડી કચેરીને જાણ કરવા પણ સુચના આપવામાં આવી છે. આ સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરી કડક પગલા લેવા આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં જુદા-જુદા બંદરો ઉપર કેમિકલ, વ્હાઈટ ઓઈલ, બેઝ ઓઈલ, એમટીઓ, એલડીઓની આયાત કરી સમગ્ર રાજ્યમાં આ ચીજ વસ્તુઓ બાયોડિઝલના નામે વેચાઈ રહી છે. છતાં જીએસટી વિભાગ કે પુરવઠા વિભાગ કોઈજ પગલા લઈ રહ્યું નથી. રોડ ટ્રાન્સપોર્ટમાં વપરાતા વાહનોમાં આ ગેરકાયદેસર બાયોડિઝલના કારણે પ્રદુષણ પણ ફેલાઈ છે અને લોકોના આરોગ્યને નુક્સાન થઈ રહ્યુ છે. છતાં પણ રાજ્ય સરકારના જાડી ચામડીના અધિકારીઓ આ પ્રવૃતિને બંધ કરાવી શક્તા નથી. સુત્રોના જણાવ્યા મુજબ જુદા-જુદા જિલ્લાઓમાં ગેરકાયદેસર બાયોડિઝલ પંપ ચલાવવાના નામે પોલીસ અને પુરવઠા વિભાગ મહિને 5 થી 7 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ અંગે લાંચ રૂશ્વત વિભાગે પણ તપાસમાં સામેલ થઈ ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડવા જોઈએ. આ પ્રકારની પ્રવૃતિ બેધ થાય તો રાજ્ય સરકારની કરોડો રૂપિયાની જીએસટીની આવક વધે તેમ છે.   
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ