ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ રાજકીય માહોલ સેટ થઈ ગયો છે અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે યુપીના ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ 100 કરતા પણ વધારે બેઠક ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રાજકીય અંદાજા પ્રમાણે ઓવૈસીના લડવાથી ભાજપને ફાયદો થશે.
ઓવૈસીને એક ઈન્ટરવ્યુ દરમિયાન એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે 100 બેઠકો પર ભાજપને ફાયદો કરાવશો. તમે જ્યાં-જ્યાં લડશો ત્યાં ભાજપને ફાયદો થશે? તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું હતું કે, અમારા કારણે તેમને કોઈ ફાયદો નહીં મળે, ઉપરથી અમે તો નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આ સાથે જ ઓવૈસીએ બિહારનું ઉદાહરણ પણ આપ્યું હતું. ઓવૈસીના કહેવા પ્રમાણે જો બિહારમાં RJDવાળા તેમની વાત માની લેતા તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનેત.
ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ રાજકીય માહોલ સેટ થઈ ગયો છે અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે યુપીના ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ 100 કરતા પણ વધારે બેઠક ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રાજકીય અંદાજા પ્રમાણે ઓવૈસીના લડવાથી ભાજપને ફાયદો થશે.
ઓવૈસીને એક ઈન્ટરવ્યુ દરમિયાન એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે 100 બેઠકો પર ભાજપને ફાયદો કરાવશો. તમે જ્યાં-જ્યાં લડશો ત્યાં ભાજપને ફાયદો થશે? તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું હતું કે, અમારા કારણે તેમને કોઈ ફાયદો નહીં મળે, ઉપરથી અમે તો નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આ સાથે જ ઓવૈસીએ બિહારનું ઉદાહરણ પણ આપ્યું હતું. ઓવૈસીના કહેવા પ્રમાણે જો બિહારમાં RJDવાળા તેમની વાત માની લેતા તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનેત.