ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવાની વાત કરી છે. રાજ્યના સીનિયર નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે. આ સાથે જ તેમણે રાજ્યમાં વેચાતા ઝેરી દારૂ મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો હતો. અને પોતાની સરકાર આવવા પર રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી.
શંકરસિંહ વાઘેલા પોતાની પોસ્ટમાં લખે છે કે, 'ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે! નામ માત્રની દારૂબંધી સરકાર માટે ભ્રષ્ટાચારનો મોટો હથિયાર બની ગયો છે અને બ્લેકમાં વેચાતા જીવલેણ ડુપ્લીકેટ દારૂને કારણે અત્યાર સુધીમાં 35 વર્ષથી નીચેના લાખો બહેનો વિધવા થયા છે અને જે રૂપિયા સરકારની તિજોરીમાં આવવા જોઈએ તે બ્લેક મની સ્વરૂપે અસામાજિક તત્વો, બૂટલેગરો અને સરકારના પાર્ટી ફંડમાં જાય છે! આ સાથે તેઓ વધુમાં લખે છે, જો મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે.'
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવાની વાત કરી છે. રાજ્યના સીનિયર નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે. આ સાથે જ તેમણે રાજ્યમાં વેચાતા ઝેરી દારૂ મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો હતો. અને પોતાની સરકાર આવવા પર રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી.
શંકરસિંહ વાઘેલા પોતાની પોસ્ટમાં લખે છે કે, 'ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂ બધે છે! નામ માત્રની દારૂબંધી સરકાર માટે ભ્રષ્ટાચારનો મોટો હથિયાર બની ગયો છે અને બ્લેકમાં વેચાતા જીવલેણ ડુપ્લીકેટ દારૂને કારણે અત્યાર સુધીમાં 35 વર્ષથી નીચેના લાખો બહેનો વિધવા થયા છે અને જે રૂપિયા સરકારની તિજોરીમાં આવવા જોઈએ તે બ્લેક મની સ્વરૂપે અસામાજિક તત્વો, બૂટલેગરો અને સરકારના પાર્ટી ફંડમાં જાય છે! આ સાથે તેઓ વધુમાં લખે છે, જો મારી સરકાર આવશે તો તુરંત જ આ દારૂબંધીનું નાટક બંધ કરવામાં આવશે.'