દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે તેવુ આઈબીનો રિપોર્ટ કહે છે.
તેમણે કહ્યુ હતુ કે, આ રિપોર્ટ બાદ ભાજપમાં હડકંપ મચી ગયો છે.આપને રોકવા માટે ભાજપે પાછલા દરવાજે કોંગ્રેસ સાથે વાતચીત શરુ કરી દીધી છે.આઈબીનો રિપોર્ટ કહી રહ્યો છે કે, આજે જો ચૂંટણી યોજાય તો ગુજરાતમાં ભાજપને ભારે ફટકો પડે તેમ છે.