આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના 'રાજકીય ગુરૂ' અન્ના હઝારે સાંકેતિક રીતે જણાવ્યું કે, આખરે કેમ દિલ્હીની જનતાનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પરથી ઓછો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'ચૂંટણી લડતા સમયે ઉમેદવારનો આચાર-વિચાર શુદ્ધ હોવો, જીવન નિષ્કલંક હોવું જરૂરી છે'.