નિઝામુદ્દીન તબલિગી જમાતમાં સામેલ થયેલા 960 વિદેશીઓના વિઝાને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આ તમામ લોકો વીઝીટર વિઝા પર ભારત આવ્યા હતા. આ સાથે જ મંત્રાલયે તમામના વિઝીટર વિઝા પણ રદ્દ કરી દીધા છે. હવે તેઓ ક્યારેય ભારત આવી નહીં શકે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો વિઝીટર વિઝા પર આવ્યા હતા. જો કે નિઝામુદ્દીનમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો. આ લોકોએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે કારણ કે, વિઝીટર વિઝા ધારક કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ નથી થઈ શકતો. ગૃહમંત્રાલય દ્વારા બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવ્યા બાદ આ તમામ લોકો ભવિષ્યમાં ક્યારેય ભારત નહીં આવી શકે.
નિઝામુદ્દીન તબલિગી જમાતમાં સામેલ થયેલા 960 વિદેશીઓના વિઝાને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આ તમામ લોકો વીઝીટર વિઝા પર ભારત આવ્યા હતા. આ સાથે જ મંત્રાલયે તમામના વિઝીટર વિઝા પણ રદ્દ કરી દીધા છે. હવે તેઓ ક્યારેય ભારત આવી નહીં શકે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો વિઝીટર વિઝા પર આવ્યા હતા. જો કે નિઝામુદ્દીનમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો. આ લોકોએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે કારણ કે, વિઝીટર વિઝા ધારક કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ નથી થઈ શકતો. ગૃહમંત્રાલય દ્વારા બ્લેક લિસ્ટમાં નાંખવામાં આવ્યા બાદ આ તમામ લોકો ભવિષ્યમાં ક્યારેય ભારત નહીં આવી શકે.