તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદની વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ એમ કે સ્ટાલિનને મોટો આંચકો આપતા જણાવ્યું છે કે હિંદી ભાષાથી નફરત કરવી જોઇએ નહીં.
સીએમએ જણાવ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષામાં ભણે છે, તે સમગ્ર વિશ્વમાં સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ધારણા છે કે જ્ઞાાન ફક્ત અંગ્રેજીથી જ આવે છે જો કે આ વાત સાચી નથી.