કોરોના વાઈરસને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે. હઝરત નિઝામુદ્દીનમાં તબલિઘી જમાત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરતા રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલ કરવામાં આવ્યા છે. તબલિઘી જમાતના કાર્યક્રમમાંથી કેટલા લોકો ગુજરાતમાં આવ્યા? આ અંગે સરકારને ખુલાસો કરવા હાઈકોર્ટે જણાવ્યું છે.
હાઇકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છે કે, વિવિધ માધ્યમોમાં તબલિઘી જમાતમા જઇને આવેલા 200 લોકો ગુજરાતમાં પ્રવેશ્યા છે, પરંતુ વાસ્તવિક્તામાં કેટલા લોકો રાજ્યમાં આવ્યા છે તે અંગે રાજ્ય સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવે. આવા લોકોનું ગુજરાતમાં સ્ક્રિનિંગ કેમ કરવામાં ન આવ્યું?, કેમ પ્રવેશ આપવામાં આવ્યો?, ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી પછી પણ જમાવડો કેમ થયો? ધાર્મિક સ્થળો પર જમાવડો બંધ કરવા માટે સરકાર શું પગલા લઇ રહી છે? જે પણ ધાર્મિક જમાવડા થતા હોય તો તેને તાત્કાલિક બંધ કરાવવા સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે.
કોરોના વાઈરસને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે. હઝરત નિઝામુદ્દીનમાં તબલિઘી જમાત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરતા રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલ કરવામાં આવ્યા છે. તબલિઘી જમાતના કાર્યક્રમમાંથી કેટલા લોકો ગુજરાતમાં આવ્યા? આ અંગે સરકારને ખુલાસો કરવા હાઈકોર્ટે જણાવ્યું છે.
હાઇકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છે કે, વિવિધ માધ્યમોમાં તબલિઘી જમાતમા જઇને આવેલા 200 લોકો ગુજરાતમાં પ્રવેશ્યા છે, પરંતુ વાસ્તવિક્તામાં કેટલા લોકો રાજ્યમાં આવ્યા છે તે અંગે રાજ્ય સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવે. આવા લોકોનું ગુજરાતમાં સ્ક્રિનિંગ કેમ કરવામાં ન આવ્યું?, કેમ પ્રવેશ આપવામાં આવ્યો?, ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી પછી પણ જમાવડો કેમ થયો? ધાર્મિક સ્થળો પર જમાવડો બંધ કરવા માટે સરકાર શું પગલા લઇ રહી છે? જે પણ ધાર્મિક જમાવડા થતા હોય તો તેને તાત્કાલિક બંધ કરાવવા સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે.