ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજકીય રેલીઓ અને જમાવડા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. રાજકોટનો રેમીડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર અંગે સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાયો ત્યારે કોર્ટે સરકારને આ ટકોર કરી હતી.
માસ્ક વગર રાજકીય રેલીઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વારંવાર ટકોર છતાં સરકાર જવાબદારો સામે પગલા કેમ નથી લઇ રહી. અનલોકમાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં. જે બાદ મોટી મોટી રાજકીય રેલીઓ થવા લાગી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન ન થયું.
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજકીય રેલીઓ અને જમાવડા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેર હિતની અરજીના આધારે આવા રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને સખત દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. રાજકોટનો રેમીડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર અંગે સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરાયો ત્યારે કોર્ટે સરકારને આ ટકોર કરી હતી.
માસ્ક વગર રાજકીય રેલીઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વારંવાર ટકોર છતાં સરકાર જવાબદારો સામે પગલા કેમ નથી લઇ રહી. અનલોકમાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં. જે બાદ મોટી મોટી રાજકીય રેલીઓ થવા લાગી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન ન થયું.