હરિયાણાના બહાદુરગઢ ખાતે સવાર-સવારમાં એક ભારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 3 આધેડ મહિલાઓના મોત થયા છે અને અન્ય 3ની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
જાણવા મળ્યા મુજબ સવારે 6:30 વાગ્યા આસપાસના સમયે ઝજ્જર રોડ પર આ અકસ્માત થયો હતો. આધેડ મહિલાઓ ડિવાઈડર પર બેઠેલી હતી તે સમયે અચાનક જ એક ટ્રક તેમના પર ફરી વળ્યો હતો. આ કારણે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. તે સિવાય અન્ય 3 મહિલાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
હરિયાણાના બહાદુરગઢ ખાતે સવાર-સવારમાં એક ભારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 3 આધેડ મહિલાઓના મોત થયા છે અને અન્ય 3ની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
જાણવા મળ્યા મુજબ સવારે 6:30 વાગ્યા આસપાસના સમયે ઝજ્જર રોડ પર આ અકસ્માત થયો હતો. આધેડ મહિલાઓ ડિવાઈડર પર બેઠેલી હતી તે સમયે અચાનક જ એક ટ્રક તેમના પર ફરી વળ્યો હતો. આ કારણે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. તે સિવાય અન્ય 3 મહિલાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.