ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝને બીજા ટ્રાયલ બાદ ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. બીજા ટ્રાયલમાં 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર કરાયેલ ટ્રાયલના પરિણામ અસરકારક રહ્યાં છે. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે 40માંથી કોઇપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઉભી થઇ નથી.
ઇમ્યુરાઇઝ વિશે લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને સમગ્ર પ્રોજેક્ટના ક્લિનિકલ ટ્રાયલનું મોનિટરિંગ કરતા પ્રો.રાકેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી અને જુનાગઢના ડો.અક્ષય સેવક દ્વારા ફોર્મલેશન કરાયેલ આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝની ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી છે. બીજા તબક્કામાં 40 દર્દીઓ પર ટ્રાયલ કરાયું હતું. જેમાં પરિણામો અસરકારક મળ્યાં છે.કોઇપણ દર્દીને ઓક્સિજનની કે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી નથી. તમામ દર્દીઓને રિપોર્ટનું કમ્પાઇલેશન કરીને ડીજીસીઆઇ મોકલી અપાશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝને બીજા ટ્રાયલ બાદ ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. બીજા ટ્રાયલમાં 40 કોરોનાગ્રસ્ત દર્દીઓ પર કરાયેલ ટ્રાયલના પરિણામ અસરકારક રહ્યાં છે. યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે 40માંથી કોઇપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઉભી થઇ નથી.
ઇમ્યુરાઇઝ વિશે લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને સમગ્ર પ્રોજેક્ટના ક્લિનિકલ ટ્રાયલનું મોનિટરિંગ કરતા પ્રો.રાકેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી અને જુનાગઢના ડો.અક્ષય સેવક દ્વારા ફોર્મલેશન કરાયેલ આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝની ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી છે. બીજા તબક્કામાં 40 દર્દીઓ પર ટ્રાયલ કરાયું હતું. જેમાં પરિણામો અસરકારક મળ્યાં છે.કોઇપણ દર્દીને ઓક્સિજનની કે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી નથી. તમામ દર્દીઓને રિપોર્ટનું કમ્પાઇલેશન કરીને ડીજીસીઆઇ મોકલી અપાશે.