ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 313 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 86 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 613 લોકો સાજા થયાં છે.
આજે 17 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 1, સુરતમાં 3 અને આણંદમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 149ના મોત થયા છે. રાજ્યના કુલ 4395 કેસ પૈકી 3026 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3568 એક્ટિવ કેસ છે જેમાં 3535 દર્દી સ્ટેબલ છે જ્યારે 33 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 249
વડોદરા 19
સુરત 13
ભાવનગર 4
આણંદ 3
ગાંધીનગર 10
પંચમહાલ 10
મહેસાણા 3
અરવલ્લી 1
દાહોદ 1
કુલ 313
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 313 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 86 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 613 લોકો સાજા થયાં છે.
આજે 17 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 1, સુરતમાં 3 અને આણંદમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 149ના મોત થયા છે. રાજ્યના કુલ 4395 કેસ પૈકી 3026 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3568 એક્ટિવ કેસ છે જેમાં 3535 દર્દી સ્ટેબલ છે જ્યારે 33 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 249
વડોદરા 19
સુરત 13
ભાવનગર 4
આણંદ 3
ગાંધીનગર 10
પંચમહાલ 10
મહેસાણા 3
અરવલ્લી 1
દાહોદ 1
કુલ 313