ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 308 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 93 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 527 લોકો સાજા થયાં છે.
આજે 16 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 9, વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 137ના મોત થયા છે. રાજ્યના કુલ 4082 કેસ પૈકી 2777 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3358 એક્ટિવ કેસ છે જેમાં 3324 દર્દી સ્ટેબલ છે જ્યારે 34 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 234
વડોદરા 15
સુરત 31
રાજકોટ 3
ભાવનગર 2
આણંદ 11
ગાંધીનગર 2
પંચમહાલ 4
મહેસાણા 1
મહીસાગર 1
બોટાદ 1
નવસારી 3
કુલ 308
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 308 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 93 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 527 લોકો સાજા થયાં છે.
આજે 16 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 9, વડોદરામાં 3, સુરતમાં 3 અને રાજકોટમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 137ના મોત થયા છે. રાજ્યના કુલ 4082 કેસ પૈકી 2777 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3358 એક્ટિવ કેસ છે જેમાં 3324 દર્દી સ્ટેબલ છે જ્યારે 34 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 234
વડોદરા 15
સુરત 31
રાજકોટ 3
ભાવનગર 2
આણંદ 11
ગાંધીનગર 2
પંચમહાલ 4
મહેસાણા 1
મહીસાગર 1
બોટાદ 1
નવસારી 3
કુલ 308