ગુજરાતના આજના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સવારના 9 વાગ્યા બાદ કોરોનાના 112 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના મોત થયા છે અને 8 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના 2178 દર્દી થયા છે. જેમાંથી 139 સાજા થયા છે અને 90ના મોત થયા છે. જ્યારે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 127 કેસ નોંધાયા હતા અને 6ના મોત થયા. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે અને 19 દર્દીના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે.
આજે સવાર પછી નોંધાયેલા કેસ
- અમદાવાદ 80
- સુરત 9
- અરવલ્લી 4
- મહેસાણા 1
- સાબરકાંઠા 1
- દાહોદ 1
- નવસારી 1
- વલસાડ 1
- વડોદરા 6
- બનાસકાંઠા 5
- બોટાદ 2
- ભરૂચ 1
ગુજરાતના આજના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સવારના 9 વાગ્યા બાદ કોરોનાના 112 કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીના મોત થયા છે અને 8 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના 2178 દર્દી થયા છે. જેમાંથી 139 સાજા થયા છે અને 90ના મોત થયા છે. જ્યારે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 127 કેસ નોંધાયા હતા અને 6ના મોત થયા. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 કેસ નોંધાયા છે અને 19 દર્દીના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે.
આજે સવાર પછી નોંધાયેલા કેસ
- અમદાવાદ 80
- સુરત 9
- અરવલ્લી 4
- મહેસાણા 1
- સાબરકાંઠા 1
- દાહોદ 1
- નવસારી 1
- વલસાડ 1
- વડોદરા 6
- બનાસકાંઠા 5
- બોટાદ 2
- ભરૂચ 1