ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 209 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1709 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 1 અને સુરતમાં 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 425ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 321ના મોત થયા છે. રાજ્યના કુલ 7013 કેસ પૈકી 4991 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4879 એક્ટિવ કેસ છે જેમાં 4853 દર્દી સ્ટેબલ છે જ્યારે 26 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 275
અરવલ્લી 25
ભાવનગર 1
દાહોદ 4
દેવદ્વારકા 1
ગાંધીનગર 5
જામનગર 4
ખેડા 3
રાજકોટ 2
સુરત 45
વડોદરા 19
બનાસકાંઠા 3
રાજસ્થાન 1
કુલ 388
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 209 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1709 લોકો સાજા થયાં છે.
આજે 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 1 અને સુરતમાં 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 425ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 321ના મોત થયા છે. રાજ્યના કુલ 7013 કેસ પૈકી 4991 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4879 એક્ટિવ કેસ છે જેમાં 4853 દર્દી સ્ટેબલ છે જ્યારે 26 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 275
અરવલ્લી 25
ભાવનગર 1
દાહોદ 4
દેવદ્વારકા 1
ગાંધીનગર 5
જામનગર 4
ખેડા 3
રાજકોટ 2
સુરત 45
વડોદરા 19
બનાસકાંઠા 3
રાજસ્થાન 1
કુલ 388