ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 146 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1042 લોકો સાજા થયાં છે.
આજે 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, વડોદરામાં 1, સુરતમાં 2, આણંદમાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 208ના મોત થયા છે. રાજ્યના કુલ 5428 કેસ પૈકી 3817 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4096 એક્ટિવ કેસ છે જેમાં 4965 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 274
સુરત 25
વડોદરા 25
ગાંધીનગર 3
પાટણ 1
બનાસકાંઠા 7
મહેસાણા 21
બોટાદ 3
દાહોદ 1
અરવલ્લી 1
મહીસાગર 10
દેવભૂમિ દ્વારકા 3
કુલ 374
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 146 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1042 લોકો સાજા થયાં છે.
આજે 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, વડોદરામાં 1, સુરતમાં 2, આણંદમાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 208ના મોત થયા છે. રાજ્યના કુલ 5428 કેસ પૈકી 3817 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4096 એક્ટિવ કેસ છે જેમાં 4965 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 274
સુરત 25
વડોદરા 25
ગાંધીનગર 3
પાટણ 1
બનાસકાંઠા 7
મહેસાણા 21
બોટાદ 3
દાહોદ 1
અરવલ્લી 1
મહીસાગર 10
દેવભૂમિ દ્વારકા 3
કુલ 374