ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 123 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 736 લોકો સાજા થયાં છે.
આજે 22 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 17, વડોદરામાં 4, સુરતમાં 1 અને પંચમહાલમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 165ના મોત થયા છે. રાજ્યના કુલ 4721 કેસ પૈકી 3293 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3749 એક્ટિવ કેસ છે જેમાં 3713 દર્દી સ્ટેબલ છે જ્યારે 36 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 267
બનાસકાંઠા 1
બોટાદ 1
ગાંંધીનગર 1
કચ્છ 1
મહીસાગર 6
પંચમહાલ 3
પાટણ 1
સુરત 26
વડોદરા 19
કુલ 326
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 123 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 736 લોકો સાજા થયાં છે.
આજે 22 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 17, વડોદરામાં 4, સુરતમાં 1 અને પંચમહાલમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 165ના મોત થયા છે. રાજ્યના કુલ 4721 કેસ પૈકી 3293 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 3749 એક્ટિવ કેસ છે જેમાં 3713 દર્દી સ્ટેબલ છે જ્યારે 36 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 267
બનાસકાંઠા 1
બોટાદ 1
ગાંંધીનગર 1
કચ્છ 1
મહીસાગર 6
પંચમહાલ 3
પાટણ 1
સુરત 26
વડોદરા 19
કુલ 326