ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1272 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1095 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 76757 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 17 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 5, અમદાવાદમાં 4, ભાવનગરમાં 2, વડોદરામાં 2, જ્યારે અમરેલી, બનાસકાંઠા, જામનગર અને સાબરકાંઠા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેેેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3008 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1713 ના મોત થયા છે. રાજ્યના કુલ 95155 કેસ પૈકી 31346 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 15390 એક્ટિવ કેસ છે. 15306 દર્દી સ્ટેબલ છે જ્યારે 84 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1272 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1095 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 76757 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 17 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 5, અમદાવાદમાં 4, ભાવનગરમાં 2, વડોદરામાં 2, જ્યારે અમરેલી, બનાસકાંઠા, જામનગર અને સાબરકાંઠા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેેેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3008 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1713 ના મોત થયા છે. રાજ્યના કુલ 95155 કેસ પૈકી 31346 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 15390 એક્ટિવ કેસ છે. 15306 દર્દી સ્ટેબલ છે જ્યારે 84 દર્દી વેન્ટિલેટર પર છે.