ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1212 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 980 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 68257 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 6, અમદાવાદમાં 3, જુનાગઢમાં 2, જ્યારે કચ્છ, પાટણ અને વડોદરા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2883 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1680 ના મોત થયા છે. રાજ્યના કુલ 85678 કેસ પૈકી 30020 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14538 એક્ટિવ કેસ છે. 14453 દર્દી સ્ટેબલ છે જ્યારે 85 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1212 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 980 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 68257 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 6, અમદાવાદમાં 3, જુનાગઢમાં 2, જ્યારે કચ્છ, પાટણ અને વડોદરા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2883 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1680 ના મોત થયા છે. રાજ્યના કુલ 85678 કેસ પૈકી 30020 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14538 એક્ટિવ કેસ છે. 14453 દર્દી સ્ટેબલ છે જ્યારે 85 દર્દી વેન્ટિલેટર પર છે.