Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના કારણે હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ રહી છે, ત્યારે રાજકોટ સ્થિત જ્યોતિ CNC કંપની દ્વારા સ્વદેશી વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો. જો કે સિવિલના સિનિયર ડૉક્ટરોએ ધમણ-1 વેન્ટિલેટર પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, તે કોરોનાના દર્દીઓની સારવાર માટે કારગર નથી. જે બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જો કે હવે રાજ્ય સરકાર તરફથી આરોગ્ય સચિવ જયંતિ રવિએ તમામ સ્પષ્ટતા કરી છે. અગ્ર સચિવે જણાવ્યું કે ધમણ-1 વેન્ટિલેટરને લાયસન્સની જરૂર નહી પડે. જ્યોતિ CNC કંપનીએ વિનામૂલ્યે વેન્ટિલેટર આપ્યાં છે. આ સાથે જ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ વેન્ટિલેટરની ભારે અછત વર્તાઇ રહી છે. તેવામાં ધમણ-1 વેન્ટિલેટર ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ બન્યું છે.

ધમણ-1 સેફ્ટી અને પર્ફોમન્સમાં પાસ થયું

9 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં થયું હતું ડેમોસ્ટ્રેશન

ધમણ-1ને DCGIના લાયસન્સની જરૂર નથી.

જ્યોતી CNCએ વિના મૂલ્યે વેન્ટિલેટર આપ્યા કંપનીએ 18 એપ્રિલે 10 વેન્ટિલેટર આપ્યા હતા. અત્યાર સુધીમાં કંપનીએ 866 વેન્ટિલેટર આપ્યા છે.
ધમણ-1 સેફ્ટિ અને ટેસ્ટમાં પાસ થયું...વેન્ટિલેટરના રજિસ્ટ્રેશન માટે હજુ 2021 સુધીનો સમય છે. મેડિકલ ડિવાઈસ  કાયદા 2017 અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકારના લાયસન્સની જરૂરિયાત નથી. આ માટે 37 વસ્તુઓની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વેન્ટિલેટરનો સમાવેશનથી થતો. તેનો અર્થ એ છે કે ધમણ માટે લાયસન્સ લેવાની જરૂરિયાત નથી. જો કોઇ સ્વેચ્છાએ રજીસ્ટર કરવા માગે તો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેના માટે ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ધમણ-1 બનાવનારી કંપની જ્યોતિ CNCએ ફક્ત સેવાના હેતુથી સરકારને વિનામૂલ્યે વેન્ટિલેટર આપ્યા છે. ધમણ-1 એ ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે તેમ જયંતિ રવિએ જણાવ્યું.

તેમણે કહ્યું કે તમામ જરૂરી ટેસ્ટિંગની પ્રક્રિયા અને મંજૂરી બાદ જ ધમણ-1નું નિર્માણ કરવામાં આવ્યું છે. વેન્ટિલેટર માટે DCGIના લાયસન્સની જરૂર નથી. વેન્ટિલેટરના નિર્માણ માટે કોઇ રાજ્ય કે કેન્દ્રના લાયસન્સની જરૂર રહેતી નથી. આથી ધમણ-1ને આવી કોઇ મંજૂરીની જરૂર નથી. જયંતિ રવિએ જણાવ્યું કે ધમણ-1ને ઇક્યુડીસી સંસ્થા દ્વારા એક્રેડિશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત તેને ઇન્સ્ટોલ કરતા પહેલા તમામ મંજૂરી લેવામાં આવી છે. ધમણ-1 અંગે નિષ્ણાંતોએ અભિપ્રાય આપ્યા હતા તેમજ તબીબોએ આપેલા સૂચનો પણ ધ્યાનમાં લેવાયા હતા. આ ઉપરાંત નિષ્ણાંતોની હાજરીમાં જ કૃત્રિમ ફેફસા પર પણ ધમણનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ધમણ-1 તમામ સેફ્ટી અને પર્ફોમન્સમાં પાસ થયું છે. 9 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં લાઇવ ડેમોસ્ટ્રેશન થયું. એટલું જ નહિં પુડ્ડુચેરીએ પણ ધમણ-1 માટે ઓર્ડર આપ્યા છે. આમ ધમણ-1 પર આક્ષેપો કરવા યોગ્ય નથી તેમ જયંતિ રવિએ જણાવ્યું.

શું હતો કોંગ્રેસનો આરોપ?

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કારણે વધેલા મૃત્યુઆંક માટે કોંગ્રેસે ધમણ-1 વેન્ટિલેટરના ઉપયોગને જવાબદાર ઠેરવ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે, ધમણ અંગે DGCI પાસેથી મંજૂરી નહતી લેવાઈ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ધમણ-1 વેન્ટિલેટરથી થયેલા મોત માટે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવ્યા હતા.

કોરોના વાયરસના કારણે હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ રહી છે, ત્યારે રાજકોટ સ્થિત જ્યોતિ CNC કંપની દ્વારા સ્વદેશી વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો. જો કે સિવિલના સિનિયર ડૉક્ટરોએ ધમણ-1 વેન્ટિલેટર પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, તે કોરોનાના દર્દીઓની સારવાર માટે કારગર નથી. જે બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જો કે હવે રાજ્ય સરકાર તરફથી આરોગ્ય સચિવ જયંતિ રવિએ તમામ સ્પષ્ટતા કરી છે. અગ્ર સચિવે જણાવ્યું કે ધમણ-1 વેન્ટિલેટરને લાયસન્સની જરૂર નહી પડે. જ્યોતિ CNC કંપનીએ વિનામૂલ્યે વેન્ટિલેટર આપ્યાં છે. આ સાથે જ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ વેન્ટિલેટરની ભારે અછત વર્તાઇ રહી છે. તેવામાં ધમણ-1 વેન્ટિલેટર ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ બન્યું છે.

ધમણ-1 સેફ્ટી અને પર્ફોમન્સમાં પાસ થયું

9 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં થયું હતું ડેમોસ્ટ્રેશન

ધમણ-1ને DCGIના લાયસન્સની જરૂર નથી.

જ્યોતી CNCએ વિના મૂલ્યે વેન્ટિલેટર આપ્યા કંપનીએ 18 એપ્રિલે 10 વેન્ટિલેટર આપ્યા હતા. અત્યાર સુધીમાં કંપનીએ 866 વેન્ટિલેટર આપ્યા છે.
ધમણ-1 સેફ્ટિ અને ટેસ્ટમાં પાસ થયું...વેન્ટિલેટરના રજિસ્ટ્રેશન માટે હજુ 2021 સુધીનો સમય છે. મેડિકલ ડિવાઈસ  કાયદા 2017 અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકારના લાયસન્સની જરૂરિયાત નથી. આ માટે 37 વસ્તુઓની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વેન્ટિલેટરનો સમાવેશનથી થતો. તેનો અર્થ એ છે કે ધમણ માટે લાયસન્સ લેવાની જરૂરિયાત નથી. જો કોઇ સ્વેચ્છાએ રજીસ્ટર કરવા માગે તો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેના માટે ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ધમણ-1 બનાવનારી કંપની જ્યોતિ CNCએ ફક્ત સેવાના હેતુથી સરકારને વિનામૂલ્યે વેન્ટિલેટર આપ્યા છે. ધમણ-1 એ ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ છે તેમ જયંતિ રવિએ જણાવ્યું.

તેમણે કહ્યું કે તમામ જરૂરી ટેસ્ટિંગની પ્રક્રિયા અને મંજૂરી બાદ જ ધમણ-1નું નિર્માણ કરવામાં આવ્યું છે. વેન્ટિલેટર માટે DCGIના લાયસન્સની જરૂર નથી. વેન્ટિલેટરના નિર્માણ માટે કોઇ રાજ્ય કે કેન્દ્રના લાયસન્સની જરૂર રહેતી નથી. આથી ધમણ-1ને આવી કોઇ મંજૂરીની જરૂર નથી. જયંતિ રવિએ જણાવ્યું કે ધમણ-1ને ઇક્યુડીસી સંસ્થા દ્વારા એક્રેડિશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત તેને ઇન્સ્ટોલ કરતા પહેલા તમામ મંજૂરી લેવામાં આવી છે. ધમણ-1 અંગે નિષ્ણાંતોએ અભિપ્રાય આપ્યા હતા તેમજ તબીબોએ આપેલા સૂચનો પણ ધ્યાનમાં લેવાયા હતા. આ ઉપરાંત નિષ્ણાંતોની હાજરીમાં જ કૃત્રિમ ફેફસા પર પણ ધમણનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ધમણ-1 તમામ સેફ્ટી અને પર્ફોમન્સમાં પાસ થયું છે. 9 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં લાઇવ ડેમોસ્ટ્રેશન થયું. એટલું જ નહિં પુડ્ડુચેરીએ પણ ધમણ-1 માટે ઓર્ડર આપ્યા છે. આમ ધમણ-1 પર આક્ષેપો કરવા યોગ્ય નથી તેમ જયંતિ રવિએ જણાવ્યું.

શું હતો કોંગ્રેસનો આરોપ?

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કારણે વધેલા મૃત્યુઆંક માટે કોંગ્રેસે ધમણ-1 વેન્ટિલેટરના ઉપયોગને જવાબદાર ઠેરવ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે, ધમણ અંગે DGCI પાસેથી મંજૂરી નહતી લેવાઈ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ધમણ-1 વેન્ટિલેટરથી થયેલા મોત માટે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ