Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોના અહિંસક આંદોલનના અધિકારને માન્યતા આપી હતી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણિયનની બેન્ચે સરકાર વતી અદાલતમાં હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલને સૂચન કર્યું હતું કે, કૃષિ કાયદા મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા વિવાદના ઉકેલ માટે અમે કૃષિ નિષ્ણાતો અને ખેડૂત યુનિયનોની બનેલી એક તટસ્થ અને સ્વતંત્ર પેનલ રચવા વિચારી રહ્યાં છીએ. આ પેનલ દ્વારા વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે સરકારને કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત રાખવા સૂચન કરીએ છીએ. આ પેનલમાં પી. સાઇનાથ, ભારતીય કિસાન યુનિયન અને અન્યોનો સમાવેશ થઈ શકે. આ પેનલ જે તારણો આપે તેનો અમલ થવો જોઈએ અને ત્યાં સુધી ખેડૂતો આંદોલન જારી રાખી શકે છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે, અમે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો સહિતના તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળ્યા પછી પેનલની રચના માટે આદેશ આપીશું.
 

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કૃષિ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોના અહિંસક આંદોલનના અધિકારને માન્યતા આપી હતી. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણિયનની બેન્ચે સરકાર વતી અદાલતમાં હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલને સૂચન કર્યું હતું કે, કૃષિ કાયદા મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા વિવાદના ઉકેલ માટે અમે કૃષિ નિષ્ણાતો અને ખેડૂત યુનિયનોની બનેલી એક તટસ્થ અને સ્વતંત્ર પેનલ રચવા વિચારી રહ્યાં છીએ. આ પેનલ દ્વારા વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે સરકારને કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત રાખવા સૂચન કરીએ છીએ. આ પેનલમાં પી. સાઇનાથ, ભારતીય કિસાન યુનિયન અને અન્યોનો સમાવેશ થઈ શકે. આ પેનલ જે તારણો આપે તેનો અમલ થવો જોઈએ અને ત્યાં સુધી ખેડૂતો આંદોલન જારી રાખી શકે છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે, અમે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો સહિતના તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળ્યા પછી પેનલની રચના માટે આદેશ આપીશું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ