Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડ સ્પીકર અંગેના ડિબેટ શો મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ ન્યૂઝ ચેનલ્સ માટે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, ઉશ્કેરણીજનક, અસામાજીક, બિનસંસદીય અને ભડકાઉ હેડલાઈનથી દૂર રહો. કેન્દ્રએ જણાવ્યું કે, કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન એક્ટ) 1995ના નિર્દેશોનું આકરૂં પાલન કરે. 
સરકારે સ્પષ્ટ જણાવ્યું કે, આદેશનું પાલન નહીં થાય તો ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, ટેલિવિઝન નેટવર્ક (વિનિયમન) અધિનિયમ, 1995ની ધારા 20 કેન્દ્રને સશક્ત બનાવે છે કે તે ટીવી ચેનલ્સ વિરૂદ્ધ ઉચિત પગલાં ભરી શકે છે. એડવાઈઝરીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ કાર્યક્રમ નિર્ધારિત નિર્દેશોનું પાલન નહીં કરે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
 

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડ સ્પીકર અંગેના ડિબેટ શો મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ ન્યૂઝ ચેનલ્સ માટે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, ઉશ્કેરણીજનક, અસામાજીક, બિનસંસદીય અને ભડકાઉ હેડલાઈનથી દૂર રહો. કેન્દ્રએ જણાવ્યું કે, કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન એક્ટ) 1995ના નિર્દેશોનું આકરૂં પાલન કરે. 
સરકારે સ્પષ્ટ જણાવ્યું કે, આદેશનું પાલન નહીં થાય તો ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, ટેલિવિઝન નેટવર્ક (વિનિયમન) અધિનિયમ, 1995ની ધારા 20 કેન્દ્રને સશક્ત બનાવે છે કે તે ટીવી ચેનલ્સ વિરૂદ્ધ ઉચિત પગલાં ભરી શકે છે. એડવાઈઝરીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ કાર્યક્રમ નિર્ધારિત નિર્દેશોનું પાલન નહીં કરે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ