Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળની મુલાકાતના બીજા દિવસે બોલપુરમાં રોડ શો દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનરજી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, બંગાળની જનતા રાજકીય હિંસા, ભ્રષ્ટાચાર, ખંડણી અને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્તિ મેળવવા પરિવર્તન ઇચ્છે છે. બંગાળની જનતા વડા પ્રધાન મોદીને એક તક આપશે તો તેઓ પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે. મારા જીવનમાં મેં ઘણા રોડ શોનું આયોજન કર્યું છે અને સામેલ થયો છું પરંતુ આટલી જનમેદની સાથેનો રોડ શો મેં ક્યારેય જોયો નથી. આ ભીડ વડા પ્રધાન મોદીના વિકાસના એજન્ડામાં જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. શાહે જણાવ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો બાંગ્લાદેશમાંથી બંગાળમાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરી બંધ કરાવી દેશે. બંગાળની જનતાએ બધાને તક આપી છે હવે પીએમ મોદીને એક તક આપો. અમે સુભાષચંદ્ર બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરના સ્વપ્નનું બંગાળ બનાવીશું.
 

પશ્ચિમ બંગાળની મુલાકાતના બીજા દિવસે બોલપુરમાં રોડ શો દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનરજી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, બંગાળની જનતા રાજકીય હિંસા, ભ્રષ્ટાચાર, ખંડણી અને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્તિ મેળવવા પરિવર્તન ઇચ્છે છે. બંગાળની જનતા વડા પ્રધાન મોદીને એક તક આપશે તો તેઓ પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે. મારા જીવનમાં મેં ઘણા રોડ શોનું આયોજન કર્યું છે અને સામેલ થયો છું પરંતુ આટલી જનમેદની સાથેનો રોડ શો મેં ક્યારેય જોયો નથી. આ ભીડ વડા પ્રધાન મોદીના વિકાસના એજન્ડામાં જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. શાહે જણાવ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો બાંગ્લાદેશમાંથી બંગાળમાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરી બંધ કરાવી દેશે. બંગાળની જનતાએ બધાને તક આપી છે હવે પીએમ મોદીને એક તક આપો. અમે સુભાષચંદ્ર બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરના સ્વપ્નનું બંગાળ બનાવીશું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ