હવાનાં પ્રદૂષણ સાથે કોરોના વાઇરસનો પ્રસાર વધે છે કે કેમ તેવી અનિશ્ચિતતા ભારત પર તોળાઇ રહી છે ત્યારે એક ચિંતાજનક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ ભારતમાં નોંધાયું હતું. હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટયૂટ, ઇન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂશન, વોશિંગ્ટન યુનિવર્સિટી અને બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૦માં જણાવવામાં આવ્યું છે કે હવાનું પ્રદૂષણ ભારતમાં હવે સૌથી મોટું જોખમ બની ચૂક્યું છે. ભારતીયો પર હવાનાં પ્રદૂષણના કારણે તમામ પ્રકારના આરોગ્ય જોખમોથી થતાં મોત વધી રહ્યાં છે. સ્ટેટ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર ઘરની બહાર રહેવા અને ઘરમાં પ્રવર્તતા હવાનાં પ્રદૂષણના કારણે સર્જાતા રોગો સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ફેફસાંનાં કેન્સર, ફેફસાંના અન્ય ગંભીર રોગ અને બાળરોગોના કારણે દેશમાં વર્ષ ૨૦૧૯માં ૧૬,૬૭,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.
હવાનાં પ્રદૂષણ સાથે કોરોના વાઇરસનો પ્રસાર વધે છે કે કેમ તેવી અનિશ્ચિતતા ભારત પર તોળાઇ રહી છે ત્યારે એક ચિંતાજનક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ ભારતમાં નોંધાયું હતું. હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટયૂટ, ઇન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂશન, વોશિંગ્ટન યુનિવર્સિટી અને બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૦માં જણાવવામાં આવ્યું છે કે હવાનું પ્રદૂષણ ભારતમાં હવે સૌથી મોટું જોખમ બની ચૂક્યું છે. ભારતીયો પર હવાનાં પ્રદૂષણના કારણે તમામ પ્રકારના આરોગ્ય જોખમોથી થતાં મોત વધી રહ્યાં છે. સ્ટેટ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર ઘરની બહાર રહેવા અને ઘરમાં પ્રવર્તતા હવાનાં પ્રદૂષણના કારણે સર્જાતા રોગો સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ફેફસાંનાં કેન્સર, ફેફસાંના અન્ય ગંભીર રોગ અને બાળરોગોના કારણે દેશમાં વર્ષ ૨૦૧૯માં ૧૬,૬૭,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.