Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્રસ્ટની ઓફિસમાં પોલીસ કર્મીઓએ કરેલી ગેરવર્તણૂક મામલે અરજદારે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારે હાઈકોર્ટે ડીવાયએસપી રાજદીપ નકુમને નોટિસ ફટકારી છે અને 22 ડિસેમ્બર સુધી જવાબ રજૂ કરવા સૂચના આપી છે. આ મામલે વધુ સુનવણી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. ડીવાયએસપીના ગેરવર્તણૂંકના વીડિયો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. 

ગઢડા મંદિરનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ગઢડા મંદિર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાંઆવી હતી. જેમાં ચૂંટાયેલા ટ્રસ્ટીઓને ટ્રસ્ટની કામગીરીમાં અવરોધ કરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ અને અન્યો સામે કાર્યવાહીની હાઇકોર્ટ સમક્ષ માંગણી કરાઈ હતી. ટ્રસ્ટની ઓફિસમાં ડીવાયએસપી નકુમે કરેલી ગેરવર્તણૂંકના સીસીટીવી રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને ગેરવર્તણૂંકના પુરાવા કોર્ટમાં મંદિર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ગઢડા મંદિર તરફથી પણ પક્ષકાર તરીકે જોવા માટે હાઈકોર્ટમાં આગામી દિવસમાં અરજી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સકરારે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. આ મામલે વધુ સુનવણી 22મી ડિસેમ્બરે હાથ ધરાશે. 

ગઢડા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. મંદિર ટ્રસ્ટની ઓફિસમાં પોલીસ કર્મીઓએ કરેલી ગેરવર્તણૂક મામલે અરજદારે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારે હાઈકોર્ટે ડીવાયએસપી રાજદીપ નકુમને નોટિસ ફટકારી છે અને 22 ડિસેમ્બર સુધી જવાબ રજૂ કરવા સૂચના આપી છે. આ મામલે વધુ સુનવણી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. ડીવાયએસપીના ગેરવર્તણૂંકના વીડિયો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. 

ગઢડા મંદિરનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ વિવાદ હવે હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ગઢડા મંદિર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાંઆવી હતી. જેમાં ચૂંટાયેલા ટ્રસ્ટીઓને ટ્રસ્ટની કામગીરીમાં અવરોધ કરવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ અને અન્યો સામે કાર્યવાહીની હાઇકોર્ટ સમક્ષ માંગણી કરાઈ હતી. ટ્રસ્ટની ઓફિસમાં ડીવાયએસપી નકુમે કરેલી ગેરવર્તણૂંકના સીસીટીવી રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને ગેરવર્તણૂંકના પુરાવા કોર્ટમાં મંદિર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ગઢડા મંદિર તરફથી પણ પક્ષકાર તરીકે જોવા માટે હાઈકોર્ટમાં આગામી દિવસમાં અરજી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સકરારે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. આ મામલે વધુ સુનવણી 22મી ડિસેમ્બરે હાથ ધરાશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ