ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરાયા છે. તડીપાર મામલે એસ.પી. ના દબાણ હેઠળના આક્ષેપને લઈ નિષ્પક્ષ કામગીરીથી હુકમ કર્યાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટનું નિવેદન છે. આ સાથે 307, મારામારી સહિતના ગુનાને લઈ પોલીસ દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે હુકમ થયો હોવાનું મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું છે.
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો. જેમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે.
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરાયા છે. તડીપાર મામલે એસ.પી. ના દબાણ હેઠળના આક્ષેપને લઈ નિષ્પક્ષ કામગીરીથી હુકમ કર્યાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટનું નિવેદન છે. આ સાથે 307, મારામારી સહિતના ગુનાને લઈ પોલીસ દ્વારા કરાયેલી દરખાસ્તના આધારે હુકમ થયો હોવાનું મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું છે.
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો. જેમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી,રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે.