સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર છે. આજથી એટલે શનિવારથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા ભક્તો હાજર રહી શકશે. રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીને કારણે મંદિરની આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.
આજથી શિવ ભક્તોને આરતી સમયે સોમનાથ મંદિરકમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ કોઇને ગર્ભગૃહમાં ઊભા રહેવા દેવામાં નહીં આવે. સૌ ભક્તજનોએ પસાર થતા થતા આરતીનો લહાવો લેવાનો રહેશે.
તારીખ 06 ફેબ્રુઆરીથી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનનો સમય સવારે 06 થી રાત્રે 10 વાગ્યાનો રહેશે. ફરજ પરના ટ્રસ્ટનાં કર્મચારીઓ, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.
સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર છે. આજથી એટલે શનિવારથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા ભક્તો હાજર રહી શકશે. રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીને કારણે મંદિરની આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.
આજથી શિવ ભક્તોને આરતી સમયે સોમનાથ મંદિરકમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ કોઇને ગર્ભગૃહમાં ઊભા રહેવા દેવામાં નહીં આવે. સૌ ભક્તજનોએ પસાર થતા થતા આરતીનો લહાવો લેવાનો રહેશે.
તારીખ 06 ફેબ્રુઆરીથી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનનો સમય સવારે 06 થી રાત્રે 10 વાગ્યાનો રહેશે. ફરજ પરના ટ્રસ્ટનાં કર્મચારીઓ, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.