અરબી સમુદ્રમાંમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 18 મેના રોજ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. વાવાઝોડાની અસર 15 મે થી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે 16 થી 18 મે ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
16 મે ના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાંમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 18 મેના રોજ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. વાવાઝોડાની અસર 15 મે થી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે 16 થી 18 મે ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
16 મે ના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.