Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારે 26 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ 2020-21માં અનેક પ્રજાલક્ષી નવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લીધા છે. ખેડૂતોને માલ વહન કરવા માટે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નીતિન પટેલે ભારત સરકારની જેમ જ કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નવી યોજનાઓ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજના
આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવામાં આવશે. આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લઇને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.

કિસાન પરિવહન યોજના
આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 હજારથી 75 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે 5 હજાર ખેડૂતોને લાભ આપવા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી.

પશુદાણ સહાય યોજના
આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનો લાભ મળશે. આ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.

ગુજરાત સરકારે 26 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ 2020-21માં અનેક પ્રજાલક્ષી નવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લીધા છે. ખેડૂતોને માલ વહન કરવા માટે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નીતિન પટેલે ભારત સરકારની જેમ જ કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નવી યોજનાઓ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજના
આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવામાં આવશે. આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લઇને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.

કિસાન પરિવહન યોજના
આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 હજારથી 75 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે 5 હજાર ખેડૂતોને લાભ આપવા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી.

પશુદાણ સહાય યોજના
આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનો લાભ મળશે. આ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ