મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહેલી જણાય છે. તાજેતરમાં એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તો બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારની ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે બેઠક યોજાઈ હતી. આ ઘટના બાદ શિવસેનાએ 5 વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી રહેશે તેવું નિવેદન આપ્યું હતું. બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કોંગ્રેસ હવે સ્થાનિક ચૂંટણીથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણી એકલા લડશે તેમ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહેલી જણાય છે. તાજેતરમાં એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તો બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારની ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે બેઠક યોજાઈ હતી. આ ઘટના બાદ શિવસેનાએ 5 વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી રહેશે તેવું નિવેદન આપ્યું હતું. બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કોંગ્રેસ હવે સ્થાનિક ચૂંટણીથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણી એકલા લડશે તેમ જણાવ્યું હતું.