પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યા, દિલ્હીઅને જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડયું છે. ભારતની ગુપ્તચર એજન્સી રૉએ ત્રણેય રાજ્યોમાં એલર્ટ જારી કર્યો છે.
ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર પાકિસ્તાની આતંકવાદી સંગઠનો - જૈશ એ મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ ઘડયું છે. તે ઉપરાંત પાટનગર દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં પણ મોટા હુમલાની ફિરાક આ આતંકવાદી સંગઠનોએ શરૂ કરી છે.
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યા, દિલ્હીઅને જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડયું છે. ભારતની ગુપ્તચર એજન્સી રૉએ ત્રણેય રાજ્યોમાં એલર્ટ જારી કર્યો છે.
ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર પાકિસ્તાની આતંકવાદી સંગઠનો - જૈશ એ મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ ઘડયું છે. તે ઉપરાંત પાટનગર દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં પણ મોટા હુમલાની ફિરાક આ આતંકવાદી સંગઠનોએ શરૂ કરી છે.