રવિવારે ૨૫મા દિવસે પણ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન જારી રહ્યું હતું. ખેડૂતોએ રવિવારે તેમના આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રદ્ધાંજલિ દિવસ મનાવતા દેશના ૧ લાખ ગામોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દિલ્હીના બુરારી ખાતેના નિરંકારી સમાગમ મેદાન ખાતે ધરણાં કરી રહેલા ખેડૂતોએ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે રવિવારે જાહેરાત કરી હતી કે, ખેડૂતો સોમવારથી ધરણાંના દરેક સ્થળે ભૂખ હડતાળનો પ્રારંભ કરશે. ખેડૂતો દરરોજ મોટી સંખ્યામાં એક-એક દિવસ ભૂખ હડતાળમાં સામેલ થશે.
રવિવારે ૨૫મા દિવસે પણ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન જારી રહ્યું હતું. ખેડૂતોએ રવિવારે તેમના આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રદ્ધાંજલિ દિવસ મનાવતા દેશના ૧ લાખ ગામોમાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દિલ્હીના બુરારી ખાતેના નિરંકારી સમાગમ મેદાન ખાતે ધરણાં કરી રહેલા ખેડૂતોએ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે રવિવારે જાહેરાત કરી હતી કે, ખેડૂતો સોમવારથી ધરણાંના દરેક સ્થળે ભૂખ હડતાળનો પ્રારંભ કરશે. ખેડૂતો દરરોજ મોટી સંખ્યામાં એક-એક દિવસ ભૂખ હડતાળમાં સામેલ થશે.