ભારતીય સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલની આર્થિક હાલત બગડી છે. બીએસએનએલે સરકારને એક એસઓએસ મોકલ્યો છે જેમાં કંપનીના સંચાલન ચાલુ કરવાની અક્ષમતા જાહેર કરી છે. બીએસએનએલે કહ્યું કે હાલમાં કંપની પાસે પૈસાનો અભાવ છે તેથી જૂન મહિનાનો પગાર કર્મચારીઓને કેવી રીતે આપવો તે એક મોટો પ્રશ્ર છે. તેણે કહ્યું કે જૂનમાં કર્મચારીઓને ૮૫૦ કરોડનો પગાર ચૂકવવા પણ ફાંફાં છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલ પર ૧૩ હજાર કરોડનું દેવું છે તેને કારણે બીએસએનએલનું ભાવી ડામાડોળ બન્યું છે. બીએસએનએલના કારોપ્રોટ બજેટ એન્ડ બેન્કિંગ ડિવિઝનના સિનિયર જનરલ મેનેજર પૂરન ચંદ્રે ટેલિકોમ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું કે દર મહિનની આવક અને ખર્ચમાં તફાવતને કારણે હવે કંપનીનું કામકાજ ચાલુ રાખવું ચિંતાનો વિષય બન્યો છે કારણ કે હવે આ એક એવા સ્તરે પહાંચ્યું છે જ્યાં કોઈ જરૂરી ઇક્વિટીને સામેલ કર્યા વગર બીએસએનએલનું કામકાજ ચાલુ રાખવું લગભગ અશક્ય છે.
ભારતીય સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલની આર્થિક હાલત બગડી છે. બીએસએનએલે સરકારને એક એસઓએસ મોકલ્યો છે જેમાં કંપનીના સંચાલન ચાલુ કરવાની અક્ષમતા જાહેર કરી છે. બીએસએનએલે કહ્યું કે હાલમાં કંપની પાસે પૈસાનો અભાવ છે તેથી જૂન મહિનાનો પગાર કર્મચારીઓને કેવી રીતે આપવો તે એક મોટો પ્રશ્ર છે. તેણે કહ્યું કે જૂનમાં કર્મચારીઓને ૮૫૦ કરોડનો પગાર ચૂકવવા પણ ફાંફાં છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલ પર ૧૩ હજાર કરોડનું દેવું છે તેને કારણે બીએસએનએલનું ભાવી ડામાડોળ બન્યું છે. બીએસએનએલના કારોપ્રોટ બજેટ એન્ડ બેન્કિંગ ડિવિઝનના સિનિયર જનરલ મેનેજર પૂરન ચંદ્રે ટેલિકોમ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું કે દર મહિનની આવક અને ખર્ચમાં તફાવતને કારણે હવે કંપનીનું કામકાજ ચાલુ રાખવું ચિંતાનો વિષય બન્યો છે કારણ કે હવે આ એક એવા સ્તરે પહાંચ્યું છે જ્યાં કોઈ જરૂરી ઇક્વિટીને સામેલ કર્યા વગર બીએસએનએલનું કામકાજ ચાલુ રાખવું લગભગ અશક્ય છે.