બોમ્બની ધમકી બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મુંબઈ-તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. એર ઈન્ડિયાના વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે. તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામ 135 મુસાફરો સુરક્ષિત છે.